Uncategorizedअन्य खबरेताज़ा ख़बरें

શિક્ષકોના જ્ઞાનની ઉજવણી

રાજકોટ જિલ્લા સ્વનિર્ભર શાળા મંડળ દ્વારા 711 શિક્ષકોનું એવોર્ડ દ્વારા બહુમાન

રાજકોટ,મંગળવાર

રાજકોટ જિલ્લામાં તા. 03 સપ્ટેમ્બર ના રોજ 711 શ્રેષ્ઠ શિક્ષકોને  એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવશે..!

રાજકોટ જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા 5 મી સપ્ટેમ્બર ‘શિક્ષક દિન ‘ ના ભાગ રૂપે રાજકોટ જિલ્લામાં કાર્યરત શિક્ષકોને તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવે છે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ તા.3 સપ્ટેમ્બર ના રોજ સાંજે 5 થી 8 દરમિયાન પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ, રાજકોટ ખાતે સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવશે. જેમાં જિલ્લના 711 જેટલાં શિક્ષકોને એવોર્ડ સાથે પ્રશંશાપત્ર આપવામાં આવશે. આ કાર્યક્રમમાં જિલ્લાના જાણીતા રાજકીય, સામાજિક, સેવાકીય ક્ષેત્રના મહાનુભાવો હાજર રહેશે.

Show More
Back to top button
error: Content is protected !!