
ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણી-2025 અન્વયે તા.22.06ના રોજ મતદાન થવાનું છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ચૂંટણી હેઠળના વિસ્તારમાં 48 કલાકની મુદત દરમિયાન જાહેર સભાઓ અને ચૂંટણી પ્રચાર પર પણ પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી આર.કે.ઓઝા દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.
જાહેરનામાં મુજબ, કોઈપણ વ્યક્તિ ચૂંટણી સંબંધિત કોઈ જાહેર સભા બોલાવી કે સરઘસ કાઢી શકશે નહીં. તેમજ કોઈ સભામાં હાજરી આપી શકશે નહીં. સિનેમેટોગ્રાફ, ટેલિવિઝન, એલ.ઈ.ડી. અથવા આવા અન્ય કોઈપણ સાધનોની મદદથી ચૂંટણી સામગ્રી જાહેરમાં પ્રદર્શિત કરી શકાશે નહીં.
મતદાન વિસ્તારમાં જાહેર જનતાને આકર્ષવાના હેતુથી જાહેરમાં કોઈ સંગીતનો જલસો, થિયેટરનો કાર્યક્રમ, કોઈ મનોરંજન કાર્યક્રમ કે સમૂહભોજનનું આયોજન કરીને અથવા તેની વ્યવસ્થા કરીને ચૂંટણી પ્રચાર કરી શકાશે નહીં.
આ જાહેરનામું તા.22.06 સુધી અમલમાં રહેશે. જાહેરનામાનાં ભંગ બદલ ભારતીય ન્યાય સંહિતાની કલમ 223 હેઠળ દંડ અને શિક્ષા કરવામાં આવશે.
ચૂંટણી પ્રચારનો સમયગાળો પૂરો થાય બાદ સબંધિત મતદાર વિભાગના મતદાર ન હોય તેવા રાજકીય પદાધિકારીઓએ મત વિસ્તાર છોડવા અંગે જાહેરનામું પ્રસિધ્ધ.
ગ્રામ પંચાયતની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓ – 2025 અન્વયે સુરેન્દ્રનગર જિલ્લામાં ચૂંટણી હેઠળના વિસ્તારમાં ચૂંટણી પ્રચારનો સમયગાળો પૂરો થાય તે પછી સબંધિત મતદાર વિભાગના મતદાર ન હોય તેવા રાજકીય પદાધિકારીઓએ મત વિસ્તાર છોડી દેવા અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આર.કે.ઓઝા દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.
આ જાહેરનામા મુજબ, ચૂંટણી હેઠળનાં વિસ્તારમાં બહારનાં રાજકીય પદાધિકારીઓ, પક્ષનાં કાર્યકરો, સરઘસ કાઢનારાઓ, ચૂંટણી પ્રચારકો વગેરે કે જેઓ મતદાર વિભાગની બહારથી આવેલા હોય અને જેઓ ચૂંટણી પ્રચારનો સમયગાળો પૂરો થયા બાદ, જે રાજકીય પદાધિકારીઓ, પક્ષના કાર્યકરો, સરઘસ કાઢનારાઓ અને ચૂંટણી પ્રચારકો સંબંધિત મતદાર વિભાગના મતદાર ન હોય અને બહારથી આવ્યા હોય, તેઓએ ચૂંટણી પ્રચારનાં અંત પછી એટલે કે તા.20.06નાં સાંજના 6 વાગ્યા પછીથી તાત્કાલિક ધોરણે જિલ્લામાં સમાવિષ્ટ ચૂંટણી હેઠળનો વિસ્તાર છોડી જતા રહેવાનું રહેશે.
આ જાહેરનામાંનો અમલ તા. 20.06 થી તા. 22.06 સુધી કરવાનો રહેશે. જાહેરનામાંનો ભંગ કરનાર સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 223 હેઠળ દંડ અને શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
જાહેરનામાં મુજબ, કોઈપણ વ્યક્તિ ચૂંટણી સંબંધિત કોઈ જાહેર સભા બોલાવી કે સરઘસ કાઢી શકશે નહીં. તેમજ કોઈ સભામાં હાજરી આપી શકશે નહીં. સિનેમેટોગ્રાફ, ટેલિવિઝન, એલ.ઈ.ડી. અથવા આવા અન્ય કોઈપણ સાધનોની મદદથી ચૂંટણી સામગ્રી જાહેરમાં પ્રદર્શિત કરી શકાશે નહીં.
મતદાન વિસ્તારમાં જાહેર જનતાને આકર્ષવાના હેતુથી જાહેરમાં કોઈ સંગીતનો જલસો, થિયેટરનો કાર્યક્રમ, કોઈ મનોરંજન કાર્યક્રમ કે સમૂહભોજનનું આયોજન કરીને અથવા તેની વ્યવસ્થા કરીને ચૂંટણી પ્રચાર કરી શકાશે નહીં.
આ જાહેરનામું તા.22.06 સુધી અમલમાં રહેશે. જાહેરનામાનાં ભંગ બદલ ભારતીય ન્યાય સંહિતાની કલમ 223 હેઠળ દંડ અને શિક્ષા કરવામાં આવશે.
ચૂંટણી પ્રચારનો સમયગાળો પૂરો થાય બાદ સબંધિત મતદાર વિભાગના મતદાર ન હોય તેવા રાજકીય પદાધિકારીઓએ મત વિસ્તાર છોડવા અંગે જાહેરનામું પ્રસિધ્ધ.
ગ્રામ પંચાયતની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓ – 2025 અન્વયે સુરેન્દ્રનગર જિલ્લામાં ચૂંટણી હેઠળના વિસ્તારમાં ચૂંટણી પ્રચારનો સમયગાળો પૂરો થાય તે પછી સબંધિત મતદાર વિભાગના મતદાર ન હોય તેવા રાજકીય પદાધિકારીઓએ મત વિસ્તાર છોડી દેવા અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આર.કે.ઓઝા દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.
આ જાહેરનામા મુજબ, ચૂંટણી હેઠળનાં વિસ્તારમાં બહારનાં રાજકીય પદાધિકારીઓ, પક્ષનાં કાર્યકરો, સરઘસ કાઢનારાઓ, ચૂંટણી પ્રચારકો વગેરે કે જેઓ મતદાર વિભાગની બહારથી આવેલા હોય અને જેઓ ચૂંટણી પ્રચારનો સમયગાળો પૂરો થયા બાદ, જે રાજકીય પદાધિકારીઓ, પક્ષના કાર્યકરો, સરઘસ કાઢનારાઓ અને ચૂંટણી પ્રચારકો સંબંધિત મતદાર વિભાગના મતદાર ન હોય અને બહારથી આવ્યા હોય, તેઓએ ચૂંટણી પ્રચારનાં અંત પછી એટલે કે તા.20.06નાં સાંજના 6 વાગ્યા પછીથી તાત્કાલિક ધોરણે જિલ્લામાં સમાવિષ્ટ ચૂંટણી હેઠળનો વિસ્તાર છોડી જતા રહેવાનું રહેશે.
આ જાહેરનામાંનો અમલ તા. 20.06 થી તા. 22.06 સુધી કરવાનો રહેશે. જાહેરનામાંનો ભંગ કરનાર સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 223 હેઠળ દંડ અને શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.