Site icon desh 24×7

સુરત રેલવે સ્ટેશન પાસે ટ્રેનની અડફેટે ડિંડોલી ના યુવકનું મોત

સુરત શહેર ના ડિંડોલી પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર મુળ મહારાષ્ટ્ર ના વતની અને હાલમાં નવાગામ ડિંડોલી ખાતે આવેલી સ્વસ્તિક ટાઉનશિપ માં રહેતા રાધેશ્યામ રામસીંગ પાટીલ ઉ. વ.39, રવિવારે સાંજે 4વાગ્યાની આસપાસ નંદનવન ટાઉનશિપ પાસે ઉધના – ભેસ્તાન રેલવે ટ્રેક ઉપર ટ્રેનની અડફેટે આવી જતાઅકસ્માતમાં રાધેશ્યામ ને ગંભીર ઈજા થતા તેનું મોત નિપજ્યું હતું. બનાવને પગલે ડિંડોલી પોલિસે અકસ્માત મોત ની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

Exit mobile version